ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આજથી (10 જુલાઈ) લોર્ડ્સ ખાતે શરૂ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત પહેલા જ કરી દીધી છે. જ્યારે ભારતના અંતિમ 11 ખેલાડીઓ અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. મેચ પહેલા, જ્યારે ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન રિષભ પંતને પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેણે ત્યાં પણ તેનો સ્પષ્ટ જવાબ નહતો આપ્યો.

