20 જૂનથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. હવે ટેસ્ટ સિરીઝમાં એક અનુભવી ખેલાડી વાપસી કરવા જઈ રહ્યો છે. આ અનુભવી ખેલાડીનું નામ ઈરફાન પઠાણ છે, જેના પર IPL 2025માં બેન મૂકવામાં આવ્યો હતો. પઠાણે વર્ષ 2020માં જ પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું હતું, ત્યારબાદ તેણે કોમેન્ટ્રીને પોતાનો વ્યવસાય બનાવી લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે પોતાની અંગત દુશ્મનાવટને કોમેન્ટ્રી બોક્સમાં લાવીને કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ બોલી રહ્યો હતો. ત્યારબાદ પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના પર તે ખૂબ જ સક્રિય રહ્યો છે.

