આજે એટલે કે 20 જૂને શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેને લીડ્સના મેદાન પર સિરીઝની પહેલી મેચ રમવાની છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, સિલેક્ટર્સે શુભમન ગિલને આ ફોર્મેટમાં આગામી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે બધાની નજર શુભમન ગિલના પ્રદર્શન પર છે કે તે ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે કેવું પ્રદર્શન કરશે. આ દરમિયાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નિવેદન પણ આ અંગે સામે આવ્યું છે, જેમાં તેણે ગિલને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે કે તેણે પોતાને બહારના અવાજથી દૂર રાખવાનો પ્રયાસ કરવો પડશે.

