હાલમાં ભારતીય ક્રિકેટ ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, પહેલા 2024માં ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન રવિચંદ્રન અશ્વિને અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું, તેના 5 મહિના બાદ જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ પણ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, અને હવે 5 દિવસ બાદ આજે એટલે કે 12 મેના રોજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટમાં તેની કારકિર્દીનો અંત લાવ્યો.

