ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં રસ્તા પર સ્ટંટ કરતા અથવા બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગ કરતી વખતે રીલ બનાવવાનું ચલણ વધ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આવા લોકોને ફટકો આપતા મોટો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક કેસના ચૂકાદામાં જણાવ્યું કે, 'સ્ટંટ કરતા અથવા બેદરકારીપૂર્ણ રીતે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના પરિવારને વળતર ચૂકવવા માટે વીમા કંપનીઓ બંધાયેલી નથી.' સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો માર્ગ સુરક્ષા અને વીમા ક્લેમના નિયર્મોના સંબંધમાં મહત્ત્વપૂર્ણ કાયદાકીય ઊદાહરણ પૂરું પાડે છે.

