પાકિસ્તાનની કરાચી જિલ્લા જેલ માહિરમાંથી 216 કેદીઓ ભાગી ગયા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યુ કે શહેરમાં સામાન્ય ભૂકંપના ઝટકાને કારણે અફરાતફરી વચ્ચે કેદીઓ ભાગી ગયા હતા. કેદીઓમાંથી કેટલાક પહેલા જ પોતાની બેરેકની બહાર હતા અને તેમને આ અફરાતફરીનો ફાયદો ઉઠાવ્યો હતો અને જેલના કર્મચારીઓ પર દબાણ બનાવ્યું હતું.

