શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે એક દાયકા કરતા વધુ સમય બાદ IPLની ફાઇનલ મેચ રમી હતી. જોકે, ટીમ ફાઇનલમાં RCB સામે હારી ગઇ હતી અને કેપ્ટન તરીકે સતત બીજી IPL ટ્રોફી જીતવાથી શ્રેયસ અય્યર ચુકી ગયો હતો. IPL ફાઇનલ હારવાના 9 દિવસ બાદ શ્રેયસ અય્યર પાસે વધુ એક ટ્રોફી જીતવાની તક છે. શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી ટીમ મુંબઇ ફાલ્કન્સ ટી-20 મુંબઇ લીગની ફાઇનલમાં પહોંચી છે.

