પાંચ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર શુભમન ગિલને તેના સારા પ્રદર્શનનું ફળ મળ્યું છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCI એ શનિવારે (24 મે) આ જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલ યુવા ભારતીય ટીમમાં સૌથી અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. આવી સ્થિતિમાં, શુભમન ગિલ માટે આ પ્રવાસ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછો નથી, કારણ કે આ પ્રવાસથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલ પણ શરૂ થઈ રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? ચાલો તમને તેના 5 મોટા કારણો જણાવીએ.

