તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલના નવા ટેસ્ટ કેપ્ટન બનવાની ચર્ચા ચાલી રહી હતી. આખરે BCCI એ તેની જાહેરાત કરી અને આ ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપી. એવામાં ગિલના કેપ્ટન બન્યા પછી, યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

